ખતરામાં છે વિરાટ કોહલીની કેપ્ટનશિપ, આ જ્યોતિષે કરી મોટી ભવિષ્યવાળી, જણાવ્યું નવા કેપ્ટનનું નામ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને લઈને પાછલા ઘણા સમયથી ચર્ચાનું બજાર ગરમ છે. તે વાત માં જરા પણ બેમત નથી કે વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને ખુબ જ આગળ વધારેલ છે અને તે એક સારા કેપ્ટન કહેવાયેલ છે. જોકે વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને કોઈ મોટી ICC ટ્રોફી અપાવેલ નથી. હાલમાં જ્યારે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવામાં આવી હતી. તેમાં પણ ભારતીય ટીમને હાર મળી હતી અને ત્યારબાદ વિરાટને કેપ્ટનશીપ ઉપર ઘણા સવાલો ઊભા થયા હતા.
વિરાટ કોહલી આજનાં સમયનાં સૌથી સફળ બેટ્સમેન છે. ફોર્મેટ કોઈ પણ હોય તેમનું બેટ આગ ઓકે છે. પરંતુ અંદાજે પાછલા બે વર્ષથી તેમના બેટમાંથી કોઈપણ સેન્ચ્યુરી નીકળી નથી. જોકે ચિંતા તેમની કેપ્ટનશીપને લઈને વધારે છે. આઇસીસીનાં મોટા ટુર્નામેન્ટમાં ખાલી હાથ રહેવાની સાથોસાથ અત્યાર સુધીમાં તેઓ એક પણ આઈપીએલ ટ્રોફી પણ જીતી શક્યા નથી.
વિરાટ કોહલીને કેપ્ટન માંથી હટાવવાની માંગ હવે ખુબ જ વધી રહી છે અને કેપ્ટન રોહિત શર્માને સોંપવાની વાત કરવામાં આવી રહી છે. વળી આ મામલામાં જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજીએ પણ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રોહિત શર્મા ભારતીય ટીમનાં આગલા કેપ્ટન હશે.
જણાવી દઈએ કે વિરાટનાં સ્થાન પર રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવાની વાત ખુબ જ ચાલી રહી છે. બધા ફોર્મેટમાં નહીં પરંતુ લોકોનો માનવું છે કે રોહિત શર્માને ટી-૨૦ અને વન-ડેમાં ભારતની કેપ્ટનશિપ સોંપી દેવી જોઈએ. તેનાથી વિરાટના ખભા ઉપરથી ભાર ઓછો થઇ જશે. જણાવી દઈએ કે એક કેપ્ટનનાં રૂપમાં રોહિત શર્માની શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપમાં ૪ વખત ટ્રોફી આવેલી છે. વળી કાર્યવાહક કેપ્ટનનાં રૂપમાં તેમણે ભારતીય ટીમને પણ કેપ્ટનશીપ કરેલી છે અને તેમનો રેકોર્ડ ખુબ જ શાનદાર છે.
View this post on Instagram
જણાવી દઈએ કે રોહિત શર્માના ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવાની ઘોષણા કરનાર જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજી ઘણી વખત ભવિષ્યવાણી કરી ચુક્યા છે અને એવું ખુબ જ ઓછું બન્યું છે કે તેમને ભવિષ્યવાણી સાચી ન થઈ હોય. હાલમાં જ જ્યારે ભારતીય ટીમ શ્રીલંકાનાં પ્રવાસ પર ત્રણ વન-ડે અને ટી-૨૦ મેચની સિરીઝ માટે ગઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે શ્રીલંકા ટી-૨૦ જીતશે. અને બન્યું પણ કંઇક એવું જ. શ્રીલંકાએ ભારતને ટ્રીટમેન્ટ સિરીઝમાં ૨-૧ થી હરાવ્યું હતું.
જ્યારે વિરાટ કોહલી ની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા ગર્ભવતી હતી, ત્યારે જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજીએ કહ્યું હતું કે વિરાટ અને અનુષ્કાનાં ઘરે દીકરી જન્મ લેશે. જણાવી દઈએ કે અનુષ્કા આ વર્ષે ૧૧ જાન્યુઆરીનાં રોજ દીકરીને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
એટલું જ નહીં એક વખત જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલને લઈને પણ ભવિષ્યવાણી કરી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૨૦માં ભવિષ્યવાણી કરીને કહ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સ ફરીથી ટ્રોફી જીતશે અને તે સાચું સાબિત થયું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ એ ચોથી વખત પોતાના નામે કરી હતી.
View this post on Instagram